વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદય ના માનવીને પણ એક વખત આંખો માંથી આસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાંય શિક્ષક ની વિદાય વસમી લાગે છે.શિક્ષક શાળા સાથે શિક્ષક મિત્રો સાથે બાળકો સાથે એટલી આત્મિયતા બંધાઈ જાય છેકે જેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે. આજ રોજ અમારી શાળામાં ફરજ બજાવતા કતૅવ્ય નિષ્ઠ , દરેક કામ માં અગ્રેસર ,હસમુખા સ્વભાવ ના બહેનો શ્રી ભાવનાબેન એલ શાહ અને ભારતીબેન એન મકવાણાને આજ રોજ માનભેર વિદાય આપવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યાર બાદ શાળા નાં શિક્ષિકા બહેન શ્રી સોનલબેન મોદી ધ્વારા આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરાયું હતું શાળા ના ભૂલકાઓ ધ્વારા વિદાય ગીત રજુ થયું હતું ત્યારબાદ સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અને મંત્રી સાહેબે બંને બહેનો ની કામગીરી ને બિરદાવી હતી. શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર કે પટેલ સાહેબે સાથે વિતાવેલ પળો ને યાદ કરાવી હતી .સ્ટાફના તમામ શિક્ષક મિત્રો એ શૂભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. બંને બહેનો ને શ્રીફળ આપી સાલ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા બહેનો એ પણ શાળા પરિવાર નો ખુબ આભાર માન્યો હતો.અંતે વિનોદભાઈ પટેલ સાહેબ દ્વારા આભાર વિધી કરી.
મહત્વ ની વાતતો એ હતી કે ભારતીબેન એન મકવાણા એ પોતાની નોકરીના ૩૩ વર્ષ એકજ ગામમાં પૂર્ણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ ના અંતે ભોજન લઈ સૌ છુટા થયા હતા અને તમામ કાર્યક્રમ નું સુંદર આયોજન શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર કે પટેલ તથા સ્ટાફે કર્યું હતું
બંને બહેનો ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શાળા પરિવાર તરફ થી શુભેચ્છાઓ